કોંગ્રેસ પર PMના પ્રહારો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- કોંગ્રેસ હકો છીનવે છે
- 01 May, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભાને સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની આ પહેલી સભા છે. ગુજરાતે આપેલા સંસ્કાર આજે દિલ્હીમાં લેખે લાગ્યા છે. પીએમ તો દિલ્હીમાં હોય ગુજરાતમાં નરેન્દ્રભાઈ જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે શુભકામનાઓ પણ પાઠવી હતી.
વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે આજનો આ દિવસ નવા સંકલ્પ સાથેનો દિવસ છે. તમે 2014માં મને દિલ્હી મોકલીને દેશની સેવા કરવાની તક આપી હતી. 2014 પહેલા દેશમાં આતંકવાદના સમાચાર જ પ્રાપ્ત થતા હતા. 2014 પહેલા દેશમાં ભષ્ટ્રાચારના સમાચાર જ પ્રાપ્ત થતા હતા. 2014 પહેલા દેશ એક નિરાશામાં ડૂબેલો હતો. પહેલા દેશના યુવાનને ભવિષ્યની ચિંતા હતી. વડાપ્રધાને ફેક વીડિયો બાબતે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે હિંમત હોય તો સામેથી વાર કરો. કોંગ્રેસના આરોપ અંગે પીએમ મોદીએ દેશને ગેરન્ટી આપતા જણાવ્યું હતું કે અનામતમાં કોઈ જ ફેરફાર થશે નહી. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. ભાજપ છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોનો OBCમાં સમાવેશ કર્યો છે, કોંગ્રેસ દલિત, SC-STના હક છીનવવા માંગે છે. મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામતના ખેલ થશે નહિં.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ